Rajkotમાં રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની ઝૂંબેશ,મચ્છરની ઉત્પત્તિ અંગે નોટિસ ફટકારવામાં આવી

આરોગ્ય વિભાગની સ્કૂલ, હોટલ, બાંધકામ સેલર સહિત 3000થી વધુ સ્થળે તપાસ 67 પાસેથી રૂપિયા 56,050 વસુલાયા અને 107 લોકોને નોટિસ ફટકારાઈ દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળો અટકાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનમાં મેલેરિયા વિરોધી માસ અને હાલ જુલાઇમાં ડેન્ગ્યુ વિરોધી માસને અનુલક્ષીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે જુદી જુદી ટીમો દ્વારા સ્કૂલ, હોટલ, બાંઘકામ, સેલર, ઘાર્મિક સ્થળ સહિત 3003 સ્થળો ખાતે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી.કોર્પોરેશનની તપાસ તેજ હોટલ અને હોસ્પિટલ સહિત 67 આસામીઓ પાસેથી રૂપિયા 56,050નો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ 107 સ્થેળોએ મચ્છરની ઉત્પત્તિ અંગે નોટિસ ફટકારવામાં આવી છે.મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યાં મુજબ દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે. જે મચ્છરોને લઈ ફેલાય છે. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરતા હોવાથી ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા કેસોમાં વધારો જોવા મળે છે. સાફસફાઈ કરવામાં આવે છે વરસાદને લઈ સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. 56,050નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય્ શાખા દ્વારા ડેંગ્યુ રોગ અટકાવવા શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે.

Rajkotમાં રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની ઝૂંબેશ,મચ્છરની ઉત્પત્તિ અંગે નોટિસ ફટકારવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય વિભાગની સ્કૂલ, હોટલ, બાંધકામ સેલર સહિત 3000થી વધુ સ્થળે તપાસ
  • 67 પાસેથી રૂપિયા 56,050 વસુલાયા અને 107 લોકોને નોટિસ ફટકારાઈ
  • દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળો અટકાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનમાં મેલેરિયા વિરોધી માસ અને હાલ જુલાઇમાં ડેન્ગ્યુ વિરોધી માસને અનુલક્ષીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે જુદી જુદી ટીમો દ્વારા સ્કૂલ, હોટલ, બાંઘકામ, સેલર, ઘાર્મિક સ્થળ સહિત 3003 સ્થળો ખાતે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી.

કોર્પોરેશનની તપાસ તેજ

હોટલ અને હોસ્પિટલ સહિત 67 આસામીઓ પાસેથી રૂપિયા 56,050નો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ 107 સ્થેળોએ મચ્છરની ઉત્પત્તિ અંગે નોટિસ ફટકારવામાં આવી છે.મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યાં મુજબ દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે. જે મચ્છરોને લઈ ફેલાય છે. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરતા હોવાથી ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા કેસોમાં વધારો જોવા મળે છે.


સાફસફાઈ કરવામાં આવે છે વરસાદને લઈ

સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

56,050નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય્ શાખા દ્વારા ડેંગ્યુ રોગ અટકાવવા શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે.