Patan: હારીજની કુરેજા કેનાલના પુલ પર રાત્રિના સુમારે કાર પલટી,જાનહાનિ ટળતા હાશકારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હારીજ તાલુકાના કુરેજા ગામ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર આવેલ પુલ ઉપર શુક્રવારે રાત્રિના સમયે એક કાર અગમ્ય કારણોસર પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં અંદર સવાર ચાર વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે સદનસીબે કાર કેનાલમાં ન ખાબકતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરેન્દ્રનગર વિસ્તારના ચાર વ્યક્તિ કારમાં સવાર થઈને અંબાજી તરફ જતા હતા. તે સમયે કુરેજા ગામ નજીક આવેલ નર્મદા વિભાગની મુખ્ય કેનાલના પુલ પર કાર પહોંચતા કાર અગમ્ય કારણોસર પુલના ડીવાઈડર સાથે ટકરાઈ હતી. જેના કારણે કાર પલટી મારી ગઇ હતી. જો કે કાર પલટી ખાઈ જતાં રોડ પર જ ફ્ંગોળાઈને પડી હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો પરંતુ સદ્દનસીબે કાર નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકતાં રહી જવા પામી હતી. જેથી જાનહાનિ ટળી હતી. કારમાં સવાર એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું .જો કે કાર ડીવાઈડર સાથે અથડાઇને કેનાલમાં ખાબકી હોત તો ચારેયના જીવ જોખમમાં મુકાત પરંતુ સદનસીબે કાર રોડ પર જ પટકાઈ હતી. જેને કારણે કાર કેનાલમાં ખાબકતા બચી ગઈ હતી અને ચારેય કાર સવારના જીવ પણ બચી ગયા હતા.
What's Your Reaction?






