Patan: ટ્રકની ટક્કરે રિક્ષાનો ખુડદો, એક જ પરિવારના 3 વ્યક્તિનાં મોત

Jul 7, 2025 - 04:30
Patan: ટ્રકની ટક્કરે રિક્ષાનો ખુડદો, એક જ પરિવારના 3 વ્યક્તિનાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાધનપુર મહેસાણા હાઇવે પર રિક્ષા અને આઇસર વચ્ચે અકસ્માત થતા વરાણા ગામના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જે અકસ્માતે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સમી તાલુકાના વરાણા ગામે રહેતા વિરમભાઈ રામજીભાઈ નિ. ઠાકોર તેમજ તેમની માતા ગલાલબેન રામજીભાઈ ઠાકોર અને આશીષ પોપટભાઈ ની .ઠાકોર આજરોજ સમી તાલુકાના સુપ્રસિદ્ધ ધામ વરાણા થી રીક્ષા લઈને રાધનપુર મુકામે આવતા હતા. તેવા સમયે રાધનપુર મામલતદાર ઓફ્સિની સામે અચાનક રીક્ષા અને આઇસર ગાડી વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જે ભયંકર અકસ્માત થતા ની સાથે જ રિક્ષામાં બેઠેલ આશિષભાઈ, ગુલાલબેન તેમજ વિરમભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે અકસ્માત થતા ની સાથે જ રીક્ષા નો ખુરચો બોલાઈ ગયો હતો. આમ રાધનપુર મહેસાણા હાઇવે પર રિક્ષા અને આઇસર વચ્ચે અકસ્માતને જોતા હાઇવે પર ચાલતા તમામ વાહન ચાલકો સહિત અન્ય લોકો અકસ્માતના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને તાત્કાલિક ધોરણે રીક્ષામાં મૃતક પામેલા એક જ પરિવારના લોકોને લોહી લુહાણ હાલતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમ સમી તાલુકાના વરાણા ગામમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર પહોંચતા ની સાથે જ સમગ્ર ગામમાં ઘેરા શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી. મૃતકનું પીએમ રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે મૃતકના પરિવારના લોકો રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે આવી હૈયા ફાટ રુદન કર્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0