Panchmahal:પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક પ્રદૂષણ જાગૃતિ અર્થે ભવાઈ યોજાઈ

Jun 7, 2025 - 05:30
Panchmahal:પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક પ્રદૂષણ જાગૃતિ અર્થે ભવાઈ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે *પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો* થીમ અંતર્ગત મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લુણાવાડાના જિલ્લા ન્યાયાલય ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એમ. એન. ગડકરીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરો અને તેના નિવારણ અંગે જાગૃતિ લાવવા માટે એક ભવાઈ નાટક યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ. એન. ગડકરીએ પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને પ્લાસ્ટિકના દૈનિક ઉપયોગથી થતા નુકસાન અંગે સૌને અવગત કર્યા હતા.

તેમણે ઉપસ્થિત સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રતિબદ્ધ થવા આહવાન કર્યું હતું. ભવાઈ નાટક દ્વારા કલાકારોએ સચોટ અને અસરકારક રીતે પ્લાસ્ટિક પ્રદૂષણથી થતી પર્યાવરણીય અને માનવ સ્વાસ્થ્ય પરની વિપરીત અસરોનું ચિત્રણ કર્યું હતું. આ નાટક ઉપસ્થિત સૌ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં ખૂબ સફ્ળ રહ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેય સામાન્ય જનતામાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવી, તેમને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકલ્પો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. જિલ્લા ન્યાયાલયના પ્રાંગણમાં *પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો* થીમ આધારિત મનમોહક રંગોળી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય ફેમીલી જજ ટી.એચ.દવે , એડી. ડિસ્ટ્રીકટ જજ એમ.એમ.પરમાર - પ્રિન્સીપાલ સીની.સીવીલ જજ પી.સી.સોની, ફુલ ટાઈમ સેક્રેટરી એચ.આર.પરમાર, એડી. સીવીલ જજ આર.એ.પટેલતથા તમામ વકીલઓ અને જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0