Navratri: પ્રથમ નોરતે ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, કરી લો દર્શન

અમદાવાદની નગર દેવી ગણાય છે માતા ભદ્રકાળી. ભદ્રના કિલ્લા પાસે ભદ્રકાળી મંદિર આવેલું છે. આ મંદિર ઘણુ જુનુ છે. અહીં સામાન્ય દિવસોમાં પણ એટલી જ ભીડ હોય છે. પરંતુ તહેવાર ટાણે તો આ ભીડ બમણી થઇ જાય છે. ત્યારે હાલમાં નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. આજે પ્રથમ નોરતે સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રી એટલે દેવીશક્તિની આરાધનાનો પવિત્ર અવસર. 9 દિવસ દરમ્યાન માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક પ્રસિદ્ધ માતાજીના મંદિર છે. જેમાંનું એક પૌરાણિક સ્થાન એટલે નગરદેવીનું ભદ્રકાળી મંદિર, જે અમદાવાદના મધ્ય વિસ્તારમાં આવેલું છે. 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે ભદ્રકાળી મંદિરની સ્થાપના એહમદ શાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના શાસન દરમ્યાન મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી. તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું. માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી આજે જે જગ્યા પર મંદિર છે તે બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં આવેલ હતું. મોગલો દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિટીશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા પર કરી જે જગ્યા એ આજે મંદિર છે.

Navratri: પ્રથમ નોરતે ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, કરી લો દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની નગર દેવી ગણાય છે માતા ભદ્રકાળી. ભદ્રના કિલ્લા પાસે ભદ્રકાળી મંદિર આવેલું છે. આ મંદિર ઘણુ જુનુ છે. અહીં સામાન્ય દિવસોમાં પણ એટલી જ ભીડ હોય છે. પરંતુ તહેવાર ટાણે તો આ ભીડ બમણી થઇ જાય છે. ત્યારે હાલમાં નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. આજે પ્રથમ નોરતે સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

નવરાત્રી એટલે દેવીશક્તિની આરાધનાનો પવિત્ર અવસર. 9 દિવસ દરમ્યાન માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક પ્રસિદ્ધ માતાજીના મંદિર છે. જેમાંનું એક પૌરાણિક સ્થાન એટલે નગરદેવીનું ભદ્રકાળી મંદિર, જે અમદાવાદના મધ્ય વિસ્તારમાં આવેલું છે.

1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે

ભદ્રકાળી મંદિરની સ્થાપના એહમદ શાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના શાસન દરમ્યાન મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી. તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું.

માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી

આજે જે જગ્યા પર મંદિર છે તે બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં આવેલ હતું. મોગલો દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિટીશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા પર કરી જે જગ્યા એ આજે મંદિર છે.