Narmada:નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકોની ઘટ

Jun 28, 2025 - 03:00
Narmada:નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકોની ઘટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત 110 પ્રાથમિક શાળામાં 61 શિક્ષકો અને 21 માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક હાઇસ્કુલમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. કારકુન અને સેવક મિત્રોની જગ્યા પણ વર્ષોથી ખાલી છે. ઉલ્લેખનીય છે કે, નેત્રંગ તાલુકાની કેટલીક શાળાના મકાન જર્જરીત થઈ ગયા છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. તેવા સંજોગોમાં પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે તપાસનો વિષય બન્યો છે. નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળામાં 42 જ્ઞાન સહાયક અને 12 પ્રવાસી શિક્ષકો ફરજ બજાવે છે. જ્યારે અંતરિયાળ વિસ્તારના આટખોલ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત થતાં તોડી પાડી નવા મકાનની કામગીરી શરૂ કરાઇ હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાના માલ-સામાનનો ઉપયોગ કરતાં ગ્રામજનોએ કામગીરી અટકાવી દેતાં કામ બંધ કરી દેવાતાં બાળકોને અન્ય મકાનમાં બેસાડવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0