Morbi News: ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર સંદિપ ઝાલા સામે કાર્યવાહી,સરકારે ત્રણ વર્ષ માટે પગાર અટકાવ્યો

Jul 18, 2025 - 16:30
Morbi News: ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર સંદિપ ઝાલા સામે કાર્યવાહી,સરકારે ત્રણ વર્ષ માટે પગાર અટકાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ત્રણ વર્ષ પહેલા મોરબીમાં મચ્છુ નદી પરના ઝુલતા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના જ્યારે બની હતી ત્યારે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદિપ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સસ્પેન્ડેડ અધિકારીને મળવા પાત્ર પગાર ત્રણ વર્ષ માટે રોકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણ વર્ષ માટે પગાર ભથ્થાં પણ નહીં મળે.

તત્કાલીન ઓફિસર સંદીપ ઝાલા સામે કાર્યવાહી

ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના અંગે ચાલી રહેલા કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. SITના રીપોર્ટ બાદ રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યુ હતું. આ કેસની સુનાવણીમાં પીડિતોના વકીલે મૃતકોને બે કરોડ અને ઈજાગ્રસ્તોને 50 લાખ રૂપિયા આપવા રજૂઆત કરી હતી. સંદિપ ઝાલાને મળવા પાત્ર પગાર ભથ્થાં પર રોક લગાવવા માટે સરકારે વિભાગને જાણ કરી હતી.

તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ગત એપ્રિલ માસમાં સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. આરોપીઓ કોર્ટમાં એવી દલીલ રજૂ કરી હતી કે, તેમની સામે જે કલમો લગાવાઈ છે તેમાં તેઓ દોષિત ઠરતા નથી. પરંતુ સરકારી વકીલની દલીલો અને રજૂ કરવામાં આવેલા દાખલાઓ તેમજ પૂર્વ ચૂકાદાઓને આધારે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0