Monsoon Alert: મેઘ તાંડવ..! ભારે વરસાદથી આ 3 રાજ્યોમાં શાળાઓ બંધ રહેશે

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિગુજરાત અને મિઝોરમની સાથે બિહારમાં પણ શાળાઓ બંધભારે વરસાદ અને પાણીના સ્તર વધતા લેવાયો નિર્ણયદેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાત અને મિઝોરમની સાથે બિહારે પણ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે.ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ખરાબ હવામાન, ભારે વરસાદ અને પાણીના વધતા સ્તરને જોતા ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બાળકો અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ યાદીમાં બિહાર અને ગુજરાતના અનેક જિલ્લાઓના નામ સામેલ છે.પટનામાં શાળાઓ બંધ બિહારની રાજધાની પટનામાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પટના પ્રશાસને ગામની 76 શાળાઓને 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પટના ડીએમ ચંદ્રશેખર સિંહનું કહેવું છે કે પ્રશાસને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. હાલમાં જ એક શાળાના શિક્ષકનું ગંગા નદીમાં પડી જવાથી મોત થયું હતું, જે બાદ બિહાર સરકારે શાળાઓ ખોલવાની કે બંધ કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપી છે.મિઝોરમમાં પણ શાળાને તાળાબંધી ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મિઝોરમની રાજધાની આઈઝોલ સહિત ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ગત સપ્તાહે પ્રશાસને શાળાઓને 5 દિવસ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં 20 ઓગસ્ટથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં મિઝોરમમાં ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં શાળાઓ બંધ ગુજરાતમાં પૂરે સર્વત્ર હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં પ્રશાસને 27 ઓગસ્ટથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ભારતીય હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હજારો લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીના જળસ્તર વધવા લાગ્યા છે. જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

Monsoon Alert: મેઘ તાંડવ..! ભારે વરસાદથી આ 3 રાજ્યોમાં શાળાઓ બંધ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ
  • ગુજરાત અને મિઝોરમની સાથે બિહારમાં પણ શાળાઓ બંધ
  • ભારે વરસાદ અને પાણીના સ્તર વધતા લેવાયો નિર્ણય

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાત અને મિઝોરમની સાથે બિહારે પણ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે.

ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ખરાબ હવામાન, ભારે વરસાદ અને પાણીના વધતા સ્તરને જોતા ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બાળકો અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ યાદીમાં બિહાર અને ગુજરાતના અનેક જિલ્લાઓના નામ સામેલ છે.

પટનામાં શાળાઓ બંધ

બિહારની રાજધાની પટનામાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પટના પ્રશાસને ગામની 76 શાળાઓને 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પટના ડીએમ ચંદ્રશેખર સિંહનું કહેવું છે કે પ્રશાસને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. હાલમાં જ એક શાળાના શિક્ષકનું ગંગા નદીમાં પડી જવાથી મોત થયું હતું, જે બાદ બિહાર સરકારે શાળાઓ ખોલવાની કે બંધ કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપી છે.

મિઝોરમમાં પણ શાળાને તાળાબંધી

ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મિઝોરમની રાજધાની આઈઝોલ સહિત ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ગત સપ્તાહે પ્રશાસને શાળાઓને 5 દિવસ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં 20 ઓગસ્ટથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં મિઝોરમમાં ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં શાળાઓ બંધ

ગુજરાતમાં પૂરે સર્વત્ર હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં પ્રશાસને 27 ઓગસ્ટથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ભારતીય હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હજારો લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીના જળસ્તર વધવા લાગ્યા છે. જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.