Mehsana: ગાયોને રસ્તે રખડતી મુકી દેતા પશુપાલકો ચેતી જજો, ગૌમાંસ વેચનારા ઝડપાયા

Jun 29, 2025 - 19:00
Mehsana: ગાયોને રસ્તે રખડતી મુકી દેતા પશુપાલકો ચેતી જજો, ગૌમાંસ વેચનારા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં રખડતા પશુઓ અંગેનો મુદ્દો હજી પણ ઉકેલાયો નથી. ત્યારે ગાયોને રોડ પર રખડતી મુકી દેતા પશુપાલકો માટે ચેતવણીજનક ઘટના સામે આવી છે. રસ્તે રખડતી ગાયોની કતલ કરીને તેનું ગૌમાંસ અમદાવાદમાં વેચવાની ઘટના સામે આવી છે. મહેસાણામાં એક સપ્તાહ પહેલા સાત જેટલી ગાયોના કતલ કરેલી હાલતમાં અવશેષો મળ્યા હતાં. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ગાયોની કતલ કરનાર અને અમદાવાદમાં તેનું ગૌમાંસ વેચનાર ત્રણ આરોપીઓને મહેસાણા પોલીસે ઝડપી પાડ્યાં છે. આ ઘટનામાં ચાર આરોપીઓ ફરાર થઈ ગયાં છે.

સાત જેટલી ગાયોના કતલ કરેલા અવશેષો મળ્યા હતા

પ્રાપ્ત વિગતો પ્રમાણે એક સપ્તાહ પહેલા મહેસાણાના લાખવડ ગામની અવાવરૂ જગ્યામાંથી સાત જેટલી ગાયોના કતલ કરેલા અવશેષો મળ્યા હતા.જેની જાણ થતા જ જીવદયા પ્રેમીઓ અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો એકઠા થઈ ચક્કાજામ કર્યું હતું .જે ગાયોના કતલ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી.આ મામલો સંવેદનશીલ હોવાથી મહેસાણા તાલુકા પોલીસ અને એલસીબી ટીમે સમગ્ર મામલો થાળે પાડી આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી ફરિયાદ નોંધ દીધી હતી.

અવશેષો ફેકનાર ગેંગને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી

જે કેસમાં ગૌવંશની હત્યા કરી અવશેષો ફેકનાર ગેંગને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી હતી.તપાસ દરમિયાન મહેસાણા શીવાલા સર્કલ પાસેથી પસાર થતી કારની તપાસ કરતાં કારમાંથી ઢોર બાંધવાના રસ્સા અને ધારદાર છરી મળી આવી હતી.જે કારમાં સવાર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમની સાથે અન્ય ચાર સહિત કુલ સાત લોકોએ ભેગા મળીને એક સપ્તાહ પૂર્વે સાત ગાયોને ગાડીમાં ભરીને મહેસાણાના લાખવડ ગામની સીમમાં બાવળોની ઝાડીમાં લઈ જઈ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ફરાર ચાર આરોપીની તપાસ પોલીસે શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0