Mandal: દેત્રોજ સહિત ગ્રામ્યના વિજ્ઞાન પ્રવાહના છાત્રોને ST બસ સુવિધા નમળતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેત્રોજ તાલુકા મથક અને ગ્રામ્યના ધો. 11, 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને એસટી બસ કે અન્ય વાહન વ્યવહારની સુવિધા પુરી પાડવા માટે વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા બુધવારે દેત્રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરાઈ હતી. દેત્રોજ તાલુકાની એકમાત્ર સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા દેત્રોજ-કાંઝ રોડ ઉપરથી 3 કિમીના અંતરે આવેલ છે અને રામપુરાથી 8 કિમીના અંતરે આવેલ છે. શાળામાં 32 છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે, પરંતુ શાળાના સમયે આવવા-જવા એસટી બસ કે ખાનગી મુસાફર વાહનની સુવિધા મળતી ના હોઈ છાત્રોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર શાળાએ નહીં પહોંચતા અભ્યાસ ઉપર અસર પડતી હોય છે. રાજ્ય સરકારની નમો સરસ્વતી યોજના અમલમાં મુકાતા વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થતો જોવા મળી રહ્યો છે. દેત્રોજ ગ્રામ્ય વિસ્તારોમાંથી વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ અર્થે છાત્રો માટે સવારે 7.30થી 12.30 કલાક શાળા સમયમાં વાહન સુવિધા પુરી પાડવા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
What's Your Reaction?






