Kachchh news: જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈ આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

Nov 23, 2025 - 23:30
Kachchh news: જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈ આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લાની તમામ સરકારી કચેરીઓના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી સરઘસ કે રેલી કાઢીને આવેદન પત્ર આપવા ઉપર પર મનાઇ ફરમાવવામાં આવી છે.

આવેદન પત્ર આપવા પર મનાઇ ફરમાવવામાં આવી

કચ્છના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ તા.૦૨/૧૨/૨૦૨૫ સુધીની મુદ્દત માટે કરવાનો રહેશે. અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્‍યક્તિઓ એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદન પત્ર આપવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

ઉલ્‍લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે

આ જાહેરનામું સરકારી નોકરીમાં ફરજ ઉપર અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0