Junagadh સિવિલ હોસ્પિટલમા દર્દીના પરિવારજનોએ ડોકટર પર હુમલો કરતા ડોકટરો ઉતર્યા હડતાળ

દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા રોશ સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારનો આક્ષેપ ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા છે,દર્દીના પરિવારજનોએ ડોકટર પર હુમલો કરતા સમગ્ર ડોકટરોએ ભેગા મળીને હડતાળ કરી છે,ડોકટરોની માંગ છે કે,જે પરિવારે હુમલો કર્યો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે.આ હુમલામાં ડોકટર અને બે નર્સને ઈજા પહોંચી છે. દર્દીનું મોત થતા થઈ હતી બબાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા દર્દીને સારવાર હેઠળ ખસેડયો હતો પરંતુ તે દરમિયાન તેનુ મોત થતા પરિવારજનોમાં રોશ ફેલાયો હતો,દર્દીના સગાઓનો આક્ષેપ છે કે ડોકટરની બેદરકારીથી આ મોત નિપજયું છે અને ડોકટરે સારવાર ના કરતા દર્દીનું મોત થયુ હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે અને ડોકટર પર હુમલો કર્યો છે,સમગ્ર ઘટનામાં ડોકટર અને નર્સ પર હુમલો કરતા તેમને પણ તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મામલો લીધો હાથે સમગ્ર ઘટનામાં મામલો ગંભીર થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે,દર્દીના પરિવારજનો કે જેણે ડોકટર પર હુમલો કર્યો છે,તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે,સાથે સાથે પોલીસનું પણ કહેવું છે કે,સમગ્ર ઘટનામાં તપાસ ચાલુ છે જે પણ કસૂરવારો હશે તેની સામે કડક પગલા ભરવામાં આવશે,આ રીતે હુમલો કરવો તે યોગ્ય નથી. તાત્કાલિક સેવા ચાલુ છે સમગ્ર ઘટનામાં ડોકટરો હડતાળ પર છે પણ કોઈ ઈમરજન્સી કેસ આવે તો તેની સારવાર ચાલુ રખાઈ છે,હાલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આ મામલે કઈ કહેવા માટે તૈયાર નથી,તો ડોકટરો તેમની માંગ પર અડગ છે,ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં આવી ઘટના બનતી હોય છે,જેમાં દર્દીના સગા દ્રારા ડોકટરો પર હુમલા કરવામાં આવે છે ત્યારે ડોકટરો પાસે હડતાળ સિવાય બીજુ શસ્ત્ર નથી હોતુ.  

Junagadh સિવિલ હોસ્પિટલમા દર્દીના પરિવારજનોએ ડોકટર પર હુમલો કરતા ડોકટરો ઉતર્યા હડતાળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા રોશ
  • સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારનો આક્ષેપ
  • ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા છે,દર્દીના પરિવારજનોએ ડોકટર પર હુમલો કરતા સમગ્ર ડોકટરોએ ભેગા મળીને હડતાળ કરી છે,ડોકટરોની માંગ છે કે,જે પરિવારે હુમલો કર્યો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે.આ હુમલામાં ડોકટર અને બે નર્સને ઈજા પહોંચી છે.

દર્દીનું મોત થતા થઈ હતી બબાલ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા દર્દીને સારવાર હેઠળ ખસેડયો હતો પરંતુ તે દરમિયાન તેનુ મોત થતા પરિવારજનોમાં રોશ ફેલાયો હતો,દર્દીના સગાઓનો આક્ષેપ છે કે ડોકટરની બેદરકારીથી આ મોત નિપજયું છે અને ડોકટરે સારવાર ના કરતા દર્દીનું મોત થયુ હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે અને ડોકટર પર હુમલો કર્યો છે,સમગ્ર ઘટનામાં ડોકટર અને નર્સ પર હુમલો કરતા તેમને પણ તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.


પોલીસે મામલો લીધો હાથે

સમગ્ર ઘટનામાં મામલો ગંભીર થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે,દર્દીના પરિવારજનો કે જેણે ડોકટર પર હુમલો કર્યો છે,તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે,સાથે સાથે પોલીસનું પણ કહેવું છે કે,સમગ્ર ઘટનામાં તપાસ ચાલુ છે જે પણ કસૂરવારો હશે તેની સામે કડક પગલા ભરવામાં આવશે,આ રીતે હુમલો કરવો તે યોગ્ય નથી.

તાત્કાલિક સેવા ચાલુ છે

સમગ્ર ઘટનામાં ડોકટરો હડતાળ પર છે પણ કોઈ ઈમરજન્સી કેસ આવે તો તેની સારવાર ચાલુ રખાઈ છે,હાલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આ મામલે કઈ કહેવા માટે તૈયાર નથી,તો ડોકટરો તેમની માંગ પર અડગ છે,ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં આવી ઘટના બનતી હોય છે,જેમાં દર્દીના સગા દ્રારા ડોકટરો પર હુમલા કરવામાં આવે છે ત્યારે ડોકટરો પાસે હડતાળ સિવાય બીજુ શસ્ત્ર નથી હોતુ.