Jagannath JalYatra 2025 : રથયાત્રા પહેલા આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં 27 જૂન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે તે પહેલા આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જેમાં સંતો, મહંતો, સ્થાનિકો અને રાજકીય નેતા જોડાશે, 108 કળશમાં નદીમાંથી જળ મંદિરમાં લવાશે અને સાબરમતી નદી માંથી જળ લાવી ભગવાન પર અભિષેક કરાશે આજે જેઠ સુદ પુનમના દિવસે જળયાત્રાનું કરાય છે આયોજન.
સાબરમતી નદીના ભુદરના આરે થશે પૂજન
આ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે, હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાની શરૂઆત થશે અને બપોર બાદ ભગવાનનું મોસાળ સરસપુર લઇ જવાશે, 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે, ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, મંદિર તરફથી પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને ભકતોમાં પણ અનેરો ઉત્સાહ છે.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે
પુરીની જગન્નાથ યાત્રા પછી કોઈ પ્રખ્યાત જગન્નાથ યાત્રા હોય તો તે અમદાવાદની રથયાત્રા છે, ત્યારે આજે સવારે 8 વાગે બેન્ડવાજા, હાથી, ધજા પતાકા, ભજન મંડળી સાથે જમાલપુરના જગન્નાથ મંદિરથી શોભાયાત્રા નીકળશે અને મંદિરની પાછળના ભાગેથી સાબરમતી નદીના ભુદર ખાતે જળયાત્રા પહોંચશે, સાબરમતી નદીના કિનારે પૂજા વિધી કરવામાં આવશે, આ યાત્રામાં રાજકીય નેતાઓ અને શહેરના મેયર પણ જોડાશે. આ વિધી પૂર્ણ થયા બાદ અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે જશે.
આ પરંપરા દર વર્ષે રથયાત્રા પહેલા નિભાવવામાં આવે છે
ભગવાન વર્ષમાં એકવાર ગજવેશ ધારણ કરતા હોય છે, અને જળયાત્રાના દિવસે ભગવાનને આ ગજવેશ ધારણ કરાવવામાં આવશે. જળાભિષેક અને ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા અને જળાભિષેક પૂર્ણ થયા બાદ, ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી સરસપુર ખાતે મામાના ઘરે જશે. આ પરંપરા દર વર્ષે રથયાત્રા પહેલા નિભાવવામાં આવે છે. અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ અવિચલદાસજી વિશેષ અતિથિ તરીકે રહેશે હાજર, જળયાત્રામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ રહેશે હાજર, કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાશે.
આજથી રથયાત્રાનો પહેલો પડાવ શરૂ
01-નાથની યોજાશે આજે જળયાત્રા
02-12 યાત્રા પૈકીની એક યાત્રા એટલે જળયાત્રા
03-આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે
04-600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન
05-108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરાશે
06-જળયાત્રામાં ૧૪ ગજરાજો તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ જોડાશે ...
07-૧૦ થી વધુ ભજન મંડળીઓ જોડાશે
08- ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાશે
09- ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે,૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવશે...
10- રથયાત્રા સમાન ગણાય છે જળયાત્રા
11- ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે
12- આજેા ભગવાન મામાનાં ઘરે સરસપુર ખાતે જશે
13 -સરસપુર મામા ના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે
14- સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે જળયાત્રા
15 -ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા
16 -પરંપરાગત ૧૦૮ કળશ માં લાવશે જળ
17- ૧૦૮ કળશ ના જળ દ્વારા ભગવાન નો થશે જળાભિષેક
18 -ભગવાન ના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તો ને દર્શન આપશે
19- બપોર બાદ ભગવાન ને મોસાળવાસીઓ લઇ જશે સરસપુર
20 -સરસપુર ખાતે ભગવાન મામાને ઘરે જશે
21- સરસપુર મંદિર ખાતે મોસાળવાસીઓ દ્વારા ભગવાન નું કરાશે સ્વાગત
નિજ મંદિરથી 8 વાગે શરૂ થશે જગન્નાથની જળયાત્રા
ભુદરના આરે 8.30 વાગે થશે ગંગા પૂજન
9 વાગે નિજ મંદિર પરત ફરશે જળયાત્રા
10 વાગે જળાભિષેક બાદ થશે માહા આરતી
11 વાગે ભગવાનના ગજાવેશ દર્શન
11.30 વાગે મહા આરતી મંદિરમાં થશે
12 વાગે સાધુ સંતોનો ભંડારો યોજાશે
What's Your Reaction?






