Harsh Sanghaviએ 20 નવી હાઈટેક વોલ્વો બસને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.હર્ષ સંઘવીએ નાગરિકોની સુરક્ષાને લઈ જાત નિરીક્ષણ કર્યું વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવી હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને તમામ માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે. આ અધ્યતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે. હશે આ સુરક્ષા વ્યવસ્થા વધુમાં હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. ત્યારે જો બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય તો નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની 2 ટેન્ક દ્વારા બસની અંદર જ સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને મુસાફરો સુરક્ષિત બહાર આવી શકશે. સાથે જ આ બસમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. જે યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને તો મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડી લેવામાં આવશે. મુસાફરોને મળશે આ સુવિધાઓ વધુમાં મંત્રીએ કહ્યું કે આ નવી બસોમાં નાગરિકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2x2 લેધર અને પુશબેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જીંગની સુવિધા, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઈમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

Harsh Sanghaviએ 20 નવી હાઈટેક વોલ્વો બસને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

હર્ષ સંઘવીએ નાગરિકોની સુરક્ષાને લઈ જાત નિરીક્ષણ કર્યું

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવી હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને તમામ માહિતી મેળવી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે. આ અધ્યતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.


હશે આ સુરક્ષા વ્યવસ્થા

વધુમાં હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. ત્યારે જો બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય તો નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની 2 ટેન્ક દ્વારા બસની અંદર જ સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને મુસાફરો સુરક્ષિત બહાર આવી શકશે.

સાથે જ આ બસમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. જે યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને તો મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડી લેવામાં આવશે.

મુસાફરોને મળશે આ સુવિધાઓ

વધુમાં મંત્રીએ કહ્યું કે આ નવી બસોમાં નાગરિકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2x2 લેધર અને પુશબેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જીંગની સુવિધા, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઈમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.