Gujarat: પ્રાથમિક શાળાઓમાં બેગલેસ-ડે થશે અમલી, વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા અપાઈ સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી સંદર્ભે કમિટીના નિર્ણય સુધી બેગલેસ ડે અમલી બનશે.
વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરાયો
જૂલાઈ માસથી જ શનિવારે બેગલેસ ડે અમલી બનશે. શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શાળામાં શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવવામાં આવશે. શાળાઓએ કરવાની થતી પ્રવૃત્તિ અને ડ્રીલ અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
કમિટીના નિર્ણય બાદ પ્રવૃત્તિઓ પર થશે સ્પષ્ટતા
શાળામાં શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના અપાઈ છે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. જૂલાઈ માસથી જ દર શનિવારે બેગલેસ ડે-આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવી છે.
What's Your Reaction?






