Gujarat: આગવી કોઠાસૂઝથી સિદ્ધિ મેળવનાર ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે એમ ખેતી નિયામાકની યાદીમાં જણાવાયું છે.
અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજના નો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ છે.
અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલી બનાવાઈ
ગુજરાતમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટેની યોજનાઓનો પણ સમાવેશ થાય છે. હવે ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પેટે રૂપિયા એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે. ખેડૂતો પોતાની આગવી કોઠાસૂઝથી કરેલી ખેતીથી પગભર થઈ શકશે.
What's Your Reaction?






