Gujarat Rain News: રાજ્યના 87 તાલુકામાં વરસ્યા મેઘરાજા, સાવરકુંડલા જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સાવરકુંડલામાં નોંધાયો છે. સાવરકુંડલામાં 2.95 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ, લીલીયામાં 2.39 ઇંચ, અમરેલીમાં 2.09, રાજુલામાં 1.73 ઇંચ, ખાંભામાં 1.50 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ, ઘોઘામાં 1.46 ઇંચ, ભાવનગરમાં 1.18 ઇંચ, બોડેલીમાં 1.14 ઇંચ, જૂનાગઢમાં 1.06 ઇંચ અને વંથલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ સર્જશે. સત્તાવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. અને વરસાદી માહોલ પેદા કર્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી માહોલના કારણે ખેડૂતો ખુશ છે. અને તેઓ વાવેતર માટે તૈયારીઓ શરુ કરી રહ્યા છે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ છે.
નદીઓ અને તળાવ છલકાયા
નદીઓ અને તળાવોમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશ છે. રોડ રસ્તા પર પાણી વહી રહ્યા છે. રસ્તા પર પાણીનું વહેણ જોવા મળી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. અને વાહન ચાલકોને મુશ્કેલી થઇ રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા સાવરકુંડલા અને પાલીતાણા પાણી-પાણી થયા છે. અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
What's Your Reaction?






