Gujarat News: અંબાલાલ પટેલની આગાહી, નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના

Sep 22, 2025 - 20:00
Gujarat News: અંબાલાલ પટેલની આગાહી, નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે જે ડિપ ડિપ્રેશન ચક્રવાત સર્જી શકે છે. જેના કારણે નવરાત્રિના સમયગાળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 25 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે. 27થી 3 ઓક્ટોબર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે.

આ વરસાદી સિસ્ટમ ત્રણ ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વરસાદી સિસ્ટમ ત્રણ ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે. ઉત્તર ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ શકે છે. ચાર અને પાંચ ઓક્ટોબરે નવી સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. રાજ્યમાં 18થી 27 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવી શકે છે. નવી સિસ્ટમની અસરથી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં 110.27 ટકા વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 110.27 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97, સૌરાષ્ટ્રમાં 95.18 અને દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો છે. આજથી શરૂ થતી નવરાત્રિ દરમિયાન વરસાદ ખેલૈયાઓનો ખેલ બગાડી શકે તેવી વરસાદની આગાહી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0