GPSCની પરીક્ષાને લઈ મહત્વની જાહેરાત, હસમુખ પટેલે પોસ્ટ કરી આપી માહિતી

Jan 23, 2025 - 12:00
GPSCની પરીક્ષાને લઈ મહત્વની જાહેરાત, હસમુખ પટેલે પોસ્ટ કરી આપી માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજનાર GPSCની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા. પંચાયતની ચૂંટણી હોવાથી GPSCની પરીક્ષાને લઈને આ નિર્ણય લેવાયો હોવાની ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ કરી માહિતી આપી.

રાજ્યમાં સરકારી નોકરી મેળવવા ઉમેદવાર GPSCની પરીક્ષા આપે છે. GPSCમાં પાસ થનાર ઉમેદવારોને સરકારી નોકરી મેળવવામાં સરળતા રહે છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ હોદ્દાને લઈને વિવિધ પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2025માં GPSCની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી. દરમ્યાન રાજ્ય આયોગ ચૂંટણી કમિશન દ્વારા સ્થાનિક રાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા GPSCની પરીક્ષાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો.

GPSCની પરીક્ષાને લઈ થયા ફેરફાર

આ વર્ષે GPSCની પરીક્ષામાં બહુ બધા બદલાવ થયા છે. ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે માટે અભ્યાસક્રમના સિલેબસમાં પણ બદલાવ કરાયો. આ ઉપરાંત GPSC દ્વારા વાંધા અરજી માટે ફી વસૂલવાની જાહેરાત પણ કરાઈ હતી. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને પરીક્ષાને લગતી બાબતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

GPSC ના કલાસ 1-2 ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. GPSC આ નિર્ણય અંગે કોઈ ફેર વિચારણા કરવા માંગતી નથી.આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા.હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો.

લેવાયા મહત્વના નિર્ણયો

મહત્વનું છે કે GPSC દ્વારા વાંધા અરજી માટે 100.રૂપિયા ચાર્જ વસુલવાની જાહેરાત કરાઈ હતી.આન્સર કી જાહેર થયા બાદ વાંધા અરજી દીઠ ફી વસુલવામાં આવશે.પરીક્ષાને લઈને માહિતી આપી કે પ્રશ્નપત્ર કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવશે. પ્રશ્નપત્રની કામગીરીમાં ઓછામાં ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. GPSC દ્વારા વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો. મોટી સંખ્યામાં ઉમેદવારો GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જો કે GPSC દ્વારા ઉમેદવારોની અપાત્રતાના કારણ કેટલીક અરજીઓને રદ પણ કરાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0