Godhra:મહારાણા પ્રતાપસિંહજીની 485 જન્મ જયંતીની ઉજવણી કરાઈ

May 30, 2025 - 05:00
Godhra:મહારાણા પ્રતાપસિંહજીની 485 જન્મ જયંતીની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજપૂત વીર મહારાણા પ્રતાપસિંહજીની 485 જન્મ જયંતીની ઉજવણી પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ, રાજપૂત યુવા એસોસિએશન, રાજપૂત મહિલા સમાજ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત સમાજ ભવન ગોધરા ખાતે કરાઈ હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ સી.કે. રાઉલજીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપસિંહની પ્રતિમાને પુષ્પાંજલિથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ઉપસ્થિત મંત્રી પી.ડી. સોલંકીએ સ્વાગત પ્રવચન અને એન.જી.રાઠોડ એ આભાર વિધિ કરી હતી.

રાજપૂત ભવન ખાતેથી શરૂ થયેલી મહારેલી નગરના માર્ગો પર ફરી મહેતા હાઈસ્કૂલ પાસે આવેલી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે પહોંચી હતી. જ્યાં સી.કે.રાઉલજી તેમજ આગેવાનોએ પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં રાજપૂત સમાજના ગોધરા શહેર અને વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં રાજપૂત બંધુ વડીલો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શહેર ભાજપના આગેવાનો, નગરપાલિકા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. બાદમાં રાજપૂત આગેવાનો અને યુવાનોએ પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પી હતી. માટે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મહેતા સ્કૂલ સંસ્થાના પ્રમુખ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0