Gandhinagarના સેક્ટર-5માં પાણીની પાઇપલાઇનનું કામ કરતી વખતે એક વ્યક્તિ દટાયો

Nov 23, 2025 - 18:30
Gandhinagarના સેક્ટર-5માં પાણીની પાઇપલાઇનનું કામ કરતી વખતે એક વ્યક્તિ દટાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના સેક્ટર-5માં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ ગયો હતો. આ બનાવ ત્યારે બન્યો જ્યારે આ વ્યક્તિ પાઇપલાઇનને જોઇન્ટ મારવાની કામગીરી કરી રહ્યો હતો. અચાનક માટી ધસી પડતાં તે ખાડામાં દટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાણીની પાઇપલાઇન કામગીરી દરમ્યાન દટાયો

દટાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ગાંધીનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. જેથી કામગીરી દરમિયાન સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે જાણી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0