Gandhinagar News: ભૂકંપ વિજ્ઞાન પર 3 દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન કેન્દ્ર (ISR) ખાતે આજથી ભૂકંપ વિજ્ઞાન પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સની મુખ્ય થીમ 'ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન ભૂકંપ વિજ્ઞાન' રાખવામાં આવી છે. આ ગ્લોબલ ઇવેન્ટમાં ભારત સહિત સમગ્ર વિશ્વના નામાંકિત ભૂકંપ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા છે.
હિમાલયની ભૂસ્તરીય રચના પર વિશેષ ચર્ચા
આ કોન્ફરન્સમાં ખાસ કરીને હિમાલયન ક્ષેત્રમાં ભૂકંપના પોપડાની રચના, ટેક્ટોનિક પ્રક્રિયાઓ, ભૂકંપની તીવ્રતા અને ભૂકંપ ઉત્પત્તિ જેવા જટિલ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. હિમાલયન બેલ્ટમાં આવતા ભૂકંપોની પેટર્ન અને તેનાથી થતા નુકસાનને ઘટાડવા માટેના વૈજ્ઞાનિક અભિગમો પર વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે.
ગુજરાત: ભૂકંપ સંશોધનનું વૈશ્વિક હબ
ISRના ઇન્ચાર્જ ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ભૂકંપ સંશોધન માટે અત્યાધુનિક પ્રયોગશાળા ધરાવે છે. વિશ્વમાં જે પાંચ ભૂકંપ ઝોન જોવા મળે છે, તે પાંચેય ઝોન ગુજરાતમાં આવેલા છે, જે સંશોધન માટે આ ક્ષેત્રને અત્યંત મહત્વનું બનાવે છે.
વૈજ્ઞાનિકોનું મહાસંમેલન
ત્રણ દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ભૂકંપ વૈજ્ઞાનિકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. અહીં થનારી ચર્ચાઓ અને સંશોધનોના તારણો આગામી સમયમાં ભૂકંપ પૂર્વેની ચેતવણી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રણનીતિ ઘડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ગુજરાતમાં આવી આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ યોજાવી તે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે ગૌરવ સમાન છે.
આ પણ વાંચો - Gandhinagar News : રાજયની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, વાંચો Inside Story
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

