Gandhinagar News : ખાતરની કાળાબજારીને લઈને ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- સરકાર હવે સક્રિય...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ખેડૂતો માટે અત્યંત જરૂરી એવા ખાતરની કાળાબજારી અંગે રાજ્ય સરકાર સક્રિય થઇ છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ખાતરની કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ તપાસ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
કાળાબજારી અને આયાતનો મુદ્દો
ઋષિકેશ પટેલે સ્વીકાર્યું છે કે, કેટલીક જગ્યાએ ખાતરની કાળાબજારી થાઓ રહી છે અને તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દેશમાં ખાતર મુખ્યત્વે ચીન, રશિયા અને ઈરાન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આ દેશોની વર્તમાન પરસ્થિતિને કારણે ખાતરની આયાતમાં ઘટાડો થઇ શકે છે.
સ્વદેશી ઉત્પાદન પર ભાર
મંત્રીએ જણાવ્યું કે, PM નરેન્દ્ર મોડીના નેતૃત્વ હેઠળ સરકાર સ્વદેશી ખાતરના ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપવા માટે આયોજન કરી રહી છે. આનાથી વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટશે અને ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહેશે. આ નિવેદન દર્શાવે છે કે, સરકાર ખાતરની ઉપલબ્ધતા અને કાળાબજારીના મુદ્દાને ગંભીરતાથી લઇ રહી છે. સ્વદેશી ઉત્પાદન વધારવાનો નિર્ણય ખેડૂતો માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આનાથી માત્ર પુરવઠો જ નહીં પરંતુ ખાતરની ગુણવત્તા પણ સુનિશ્ચિત થઇ શકે છે.
ખાતરની કાળાબજારીને લઈને ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- સરકાર હવે સક્રિય...
What's Your Reaction?






