Gandhinagar: સે-7માં સતત બીજા દિવસે પણ લાખો લીટર પાણીનો વેડફાટ

Nov 3, 2025 - 03:00
Gandhinagar: સે-7માં સતત બીજા દિવસે પણ લાખો લીટર પાણીનો વેડફાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સેક્ટર-7 ખાતે પાણીની લાઈનમાં ભંગાણ બાદ છેલ્લા બે દિવસથી રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. પાણીના સપ્લાય વચ્ચે લાઈન રિપેરિંગમાં તંત્રને ભારે હાલાકી પડી હતી. પાણી સપ્લાયની મેઈન લાઈનમાં ભંગાણને પગલે પાણી ફોર્સને પણ અસર પહોંચી હોવાની વિગતો છે.

ઘ-રોડને અડીને સેક્ટર-7 પાસે પાણીની સપ્લાય લાઈનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ થયું છે. જેની અસરથી બે દિવસમાં લાખો લીટર પાણી વહી ગયું હતુ. લાઈનમાં ભંગાણ થતા ગઈકાલે અહીં જેસીબીથી ખાડો ખોદીને લાઈનની આસપાસ ભરાયેલા પાણીનો પમ્પ મુકીને નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે બીજા દિવસે પાણીની લાઈનમાં ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાણી સપ્લાયની 250 ડાયાની મેઈન લાઈન હોવાને પગલે તેના રિપેરિંગમાં તંત્રને ભારે મથામણ કરવાની ફરજ પડી હતી. લાઈનમાં વહીં જતાં પાણીને પગલે એક તરફ પાણીનો વેડફાટ થયો હતો. જ્યારે બીજી તરફ પાણીના ફોર્સ સામાન્ય ધીમો પડયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0