Gandhinagarમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પાક નુકસાની અંગે આવી શકે મોટા અપડેટ

ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા વરસાદના કારણે મોટા પાયે પાકને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. જેમાં પાકને પણ બહોળું નુકસાન થયું હતુ. ત્યારે આ નુકસાનને લઇ સરકાર દ્વારા આજે સહાય જાહેર કરવા અંગે ગાંધીનગર ખાતે આજે કેબિનેટ બેઠક યોજાઇ છે.રાજ્યમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો માટે પાકની લણણી કરવાની તૈયારી હતી. તૈયાર પાકમાં આવા સંજોગોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો એટલે પલળી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. જ્યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો. ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠક યોજાઇ છે. ત્યારે ખેડૂતોની સ્થિતીને લઇ દિવાળી પહેલા અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે સારા સમાચાર મળી શકે તેવી સંભાવના રહેલી છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે આજે એટલે કે બુધવારે મળનારી કેબિનેટ દિવાળીના તહેવારો પહેલાની કદાચ છેલ્લી કેબિનેટ છે. આથી આ કેબિનેટમાં પેકેજ જાહેર કરવામાં આવશે.

Gandhinagarમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પાક નુકસાની અંગે આવી શકે મોટા અપડેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા વરસાદના કારણે મોટા પાયે પાકને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. જેમાં પાકને પણ બહોળું નુકસાન થયું હતુ. ત્યારે આ નુકસાનને લઇ સરકાર દ્વારા આજે સહાય જાહેર કરવા અંગે ગાંધીનગર ખાતે આજે કેબિનેટ બેઠક યોજાઇ છે.

રાજ્યમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો માટે પાકની લણણી કરવાની તૈયારી હતી. તૈયાર પાકમાં આવા સંજોગોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો એટલે પલળી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. જ્યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો. ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠક યોજાઇ છે. ત્યારે ખેડૂતોની સ્થિતીને લઇ દિવાળી પહેલા અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે સારા સમાચાર મળી શકે તેવી સંભાવના રહેલી છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે આજે એટલે કે બુધવારે મળનારી કેબિનેટ દિવાળીના તહેવારો પહેલાની કદાચ છેલ્લી કેબિનેટ છે. આથી આ કેબિનેટમાં પેકેજ જાહેર કરવામાં આવશે.