Suratમાં રોગચાળો બન્યો જીવલેણ, ડેન્ગ્યુ વધુ એક યુવાનનું નિપજયું મોત

સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકયુ છે.ડેન્ગયુના કારણે અમરોલી વિસ્તારના 25 વર્ષીય યુવકનું મોત થયું છે,સુરતમાં અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે.સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને જે રોજની ઓપીડી આવે છે તેમાં બે ગણાનો વધારો થયો છે. 13-09-2024ના રોજ ડોકટરનું ડેન્ગ્યુથી મોત સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબનું ડેન્ગ્યુથી મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં હતા.સાથે સાથે અન્ય બે લોકોના પણ સારવાર દરમિયાન મોત થયા હતા.રેસિડન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાના મોતથી ડોકટર આલમમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.સાથે સાથે મહિલા તબીબને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો. સુરતમાં રોગચાળો વકર્યો સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે.ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે.મહિલા તબીબને ચક્કર આવ્યા બાદ જમીન પર પડી ગયા હતા અને ત્યારબાદ તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.સુરત શહેરમાં ટાઈફોડ અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે.સુરતની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે,કોર્પોરેશન દ્રારા દવાનો છંટકાવ તેમજ ફોંગીગ કામગીરી વધુ કરે તે જરૂરી બન્યું છે. ડેન્ગ્યુ એટલે શું ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Suratમાં રોગચાળો બન્યો જીવલેણ, ડેન્ગ્યુ વધુ એક યુવાનનું નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકયુ છે.ડેન્ગયુના કારણે અમરોલી વિસ્તારના 25 વર્ષીય યુવકનું મોત થયું છે,સુરતમાં અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે.સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને જે રોજની ઓપીડી આવે છે તેમાં બે ગણાનો વધારો થયો છે.

13-09-2024ના રોજ ડોકટરનું ડેન્ગ્યુથી મોત

સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબનું ડેન્ગ્યુથી મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં હતા.સાથે સાથે અન્ય બે લોકોના પણ સારવાર દરમિયાન મોત થયા હતા.રેસિડન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાના મોતથી ડોકટર આલમમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.સાથે સાથે મહિલા તબીબને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો.

સુરતમાં રોગચાળો વકર્યો

સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે.ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે.મહિલા તબીબને ચક્કર આવ્યા બાદ જમીન પર પડી ગયા હતા અને ત્યારબાદ તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.સુરત શહેરમાં ટાઈફોડ અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે.સુરતની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે,કોર્પોરેશન દ્રારા દવાનો છંટકાવ તેમજ ફોંગીગ કામગીરી વધુ કરે તે જરૂરી બન્યું છે.

ડેન્ગ્યુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.