Dwarkaના જામખંભાળીયામાં રોગચાળાએ ઉંચકયું માથું, દર્દીઓની લાગી લાઈન

દેવભૂમિદ્રારકાના જામખંભાળીયા રોગચાળાએ માથું ઉંચકયું છે.સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે,કેસબારી પર દર્દીઓની ભારે લાઈન જોવા મળી છે,રોજની 800થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે.ઝેરી મેલેરીયા તેમજ તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે.મચ્છરજન્ય રોગચાળો વધતા ગ્રામજનો પણ હેરાન થઈ ગયા છે,સાથે સાથે ડોકટર પણ ઓપીડીમાં સમયસર આવતા નથી તેવી ફરિયાદ દર્દીઓ કરી રહ્યાં છે.જામખંભાળીયામાં રોગાચાળો વકર્યો વરસાદ રોકાઈ ગયો તેમ છત્તા રોગચાળો વકરી રહ્યો છે.જામખંભાળીયામાં રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છ કે નગરપાલિકા દ્રારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે ગંદકીના દ્રશ્યો પણ જોવા મળે છે,ગંદકીમાં મચ્છરો જોવા મળે છે અને તે લોકોના ઘર સુધી આવી જાય છે જેના કારણે તાવ અને મેલેરીયા થઈ જાય છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. ડેન્ગયુ એટલે શું ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

Dwarkaના જામખંભાળીયામાં રોગચાળાએ ઉંચકયું માથું, દર્દીઓની લાગી લાઈન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિદ્રારકાના જામખંભાળીયા રોગચાળાએ માથું ઉંચકયું છે.સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે,કેસબારી પર દર્દીઓની ભારે લાઈન જોવા મળી છે,રોજની 800થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે.ઝેરી મેલેરીયા તેમજ તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે.મચ્છરજન્ય રોગચાળો વધતા ગ્રામજનો પણ હેરાન થઈ ગયા છે,સાથે સાથે ડોકટર પણ ઓપીડીમાં સમયસર આવતા નથી તેવી ફરિયાદ દર્દીઓ કરી રહ્યાં છે.

જામખંભાળીયામાં રોગાચાળો વકર્યો

વરસાદ રોકાઈ ગયો તેમ છત્તા રોગચાળો વકરી રહ્યો છે.જામખંભાળીયામાં રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છ કે નગરપાલિકા દ્રારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે ગંદકીના દ્રશ્યો પણ જોવા મળે છે,ગંદકીમાં મચ્છરો જોવા મળે છે અને તે લોકોના ઘર સુધી આવી જાય છે જેના કારણે તાવ અને મેલેરીયા થઈ જાય છે.


મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ડેન્ગયુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.