Dwarka નગરી બની "ખાડા નગરી", જયાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા

ઇસ્કોન ગેઇટથી નાગેશ્વર મહાદેવ મંદિર સુધી ખાડા જ્યોતિર્લિંગ મંદિર સુધી રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ દર્શનાર્થે આવતા વાહનચાલકોને ભારે હાલાકી યાત્રા ધામ દ્વારકા માં આવેલ ઇસ્કોન ગેઇટથી નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર સુધી ખાડાઓનું સામ્રાજય જોવા મળ્યું છે.દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સુધી છેલ્લા કેટલાક સમયથી આ રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે.જાણે એમ લાગે કે આ કોઈ રસ્તો નથી પરંતુ ખાડામાં બનેલું શહેર છે,ત્યારે લોકો હવે ઘરની બહાર ભગવાનનું નામ લઈને નિકળી રહ્યાં છે. રોડ પર ખાડાએ લીધુ સ્થાન શ્રાવણ માસ દરમિયાન ભગવાન નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જતાં વાહન ચાલકો રોડ રસ્તાને લઈ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.આ અંગે દ્વારકાનાં એડવોકેટ સુનીલ જોષી દ્વારા દેવભૂમિ જીલ્લા કલેકટર તેમજ પીએમો પોર્ટલ પર ફરીયાદ કરી છે.ઘરની બહાર નિકળતી વખતે ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે,જયારે રોડ પર ઈમરજન્સી એમ્બ્યુલન્સ નિકળે છે ત્યારે ડ્રાઈવરને સૌથી વધારે તકલીફ પડે છે.અગામી સમયમાં આ ખાડા નહી પૂરાય તો સ્થાનિકોએ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે.ખાડાનું વધ્યું સામ્રાજય જામ ખંભાળીયામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે વિવિધ રોડ રસ્તાઓ પર તોતિંગ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.શહેરના મુખ્ય માર્ગો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.રોડ પર જાણે એમ લાગે કે આખો રોડ ઉખડી ગયો છે ત્યારે પરિસ્થિતિ એવી જ છે રોડ તમે જોશો તો તમને પણ ઉખડેલો જ લાગશે,ત્યારે નગરપાલિકા જલદીથી રોડ રિપેર કરાવે તેવી માંગ ઉઠી છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

Dwarka નગરી બની "ખાડા નગરી", જયાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇસ્કોન ગેઇટથી નાગેશ્વર મહાદેવ મંદિર સુધી ખાડા
  • જ્યોતિર્લિંગ મંદિર સુધી રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ
  • દર્શનાર્થે આવતા વાહનચાલકોને ભારે હાલાકી

યાત્રા ધામ દ્વારકા માં આવેલ ઇસ્કોન ગેઇટથી નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર સુધી ખાડાઓનું સામ્રાજય જોવા મળ્યું છે.દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સુધી છેલ્લા કેટલાક સમયથી આ રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે.જાણે એમ લાગે કે આ કોઈ રસ્તો નથી પરંતુ ખાડામાં બનેલું શહેર છે,ત્યારે લોકો હવે ઘરની બહાર ભગવાનનું નામ લઈને નિકળી રહ્યાં છે.

રોડ પર ખાડાએ લીધુ સ્થાન

શ્રાવણ માસ દરમિયાન ભગવાન નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જતાં વાહન ચાલકો રોડ રસ્તાને લઈ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.આ અંગે દ્વારકાનાં એડવોકેટ સુનીલ જોષી દ્વારા દેવભૂમિ જીલ્લા કલેકટર તેમજ પીએમો પોર્ટલ પર ફરીયાદ કરી છે.ઘરની બહાર નિકળતી વખતે ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે,જયારે રોડ પર ઈમરજન્સી એમ્બ્યુલન્સ નિકળે છે ત્યારે ડ્રાઈવરને સૌથી વધારે તકલીફ પડે છે.અગામી સમયમાં આ ખાડા નહી પૂરાય તો સ્થાનિકોએ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે.


ખાડાનું વધ્યું સામ્રાજય

જામ ખંભાળીયામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે વિવિધ રોડ રસ્તાઓ પર તોતિંગ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.શહેરના મુખ્ય માર્ગો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.રોડ પર જાણે એમ લાગે કે આખો રોડ ઉખડી ગયો છે ત્યારે પરિસ્થિતિ એવી જ છે રોડ તમે જોશો તો તમને પણ ઉખડેલો જ લાગશે,ત્યારે નગરપાલિકા જલદીથી રોડ રિપેર કરાવે તેવી માંગ ઉઠી છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.