Dhrangadhra: ડાકઘર બહાર આધારકાર્ડ કામગીરી માટે મધરાતથી જ લોકોની લાઈનો લાગે છે

Feb 21, 2025 - 06:00
Dhrangadhra: ડાકઘર બહાર આધારકાર્ડ કામગીરી માટે મધરાતથી જ લોકોની લાઈનો લાગે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા શહેરની પોસ્ટ ઓફિસ બહાર લોકો અડધી રાતથી જ આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર થતા હોવાથી બીજા આધાર કેન્દ્રોમાં પણ સુધારા સહિતની કામગીરી શરુ કરાય એવી લોકોની માંગ ઉઠી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ આધારકાર્ડ કઢાવતી વખતે નાની મોટી ક્ષતિઓ રહી ગઈ હોય અને અત્યારે કોઈ કામગીરી કરાવતી સમયે ધ્યાનમાં આવે ત્યારે લોકોને આધારકાર્ડમાં સુધારા કરાવવા પડતા હોય છે. ત્યારે હાલ આધારકાર્ડમાં સુધારા કરવાની કામગીરી માત્ર પોસ્ટ ઓફ્સિમાંથી જ કરવામાં આવે છે. જેથી સમગ્ર વિસ્તારના લોકોને પોસ્ટ ઓફ્સિે જ જવું પડે છે. પરંતુ પોસ્ટ ઓફિસ ભારે ઘસારો રહેતો હોવાથી મહિલા શહિતના લોકો અડધી રાતથી જ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર થવું પડે છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોઈ તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ સિવાયના પણ બીજા આધાર કેન્દ્રોમાં પણ સુધારાની કામગીરી ચાલુ કરાવાય એવી લોકોની માંગ ઉઠી છે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0