Dholka: કેલિયા વાસણામાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

Jun 25, 2025 - 02:00
Dholka: કેલિયા વાસણામાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે આવેલ રણછોડજી આવેલું છે. જ્યાં રણછોડરાયજી મંદિરથી ધોળકા શહેરના કલિકુંડ સર્કલ સુધી દર વર્ષે અષાઢી બીજના પાવન પર્વે રથયાત્રા નીકળે છે. ત્યારે આગામી તા. 27/6/2025ના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમજ તેમને હાલ આખર ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રામાં ભગવાનના પ્રસાદ માટે મગ તથા લાડુ ની પ્રસાદી માટે બનાવવા માટે આજુબાજુ ગામના મહિલા મંડળના બહેનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભગવાન બલરામ અને બહેન સુભદ્રાના રથ રણછોડરાયજી મંદિર કેલિયા વાસણાથી નીકળી કલીકુંડ સર્કલ સુધી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે. ત્યારે તા. 24મીને મંગળવારે ભગવાનના રથનુ રોડ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટી પડશે. રથયાત્રા અનુસંધાને સ્થાનિક પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0