Dhandhuka: ભાદર નદીમાં પૂરનાં પાણી ઓસરતાં હાશકારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં ભાદર નદીમાં ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક ગામો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. હાલ પરિસ્થિતિમાં સુધારો થયો છે અને પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે. જેના કારણે લોકોમાં થોડીક રાહતનો અહેસાસ થયો છે. છારોડીયા, અડવાળ, બાજરડા અને ત્રાડીયા માર્ગો હવે ફરી ખુલ્લા થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાદર નદીમાં આવેલા પુરના કારણે ધંધૂકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો હતો. હવે પાણી ઓસરતા આ માર્ગો ફરી ખૂલતા વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો છે. હાલના તબક્કે વાહનવ્યવહાર શક્ય બન્યો હોવા છતાં માર્ગોની પરિસ્થિતિ જર્જરિત હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક મરામત જરૂરી બની છે. ગ્રામજનો દ્વારા રોડની યોગ્ય મરામત અને સફાઈની કામગીરી ઝડપથી હાથ ધરવાની માંગ ઉઠી છે. ખેતીમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે. તાલુકાના ઘણા ખેતરોમાં ભાદર નદીના ઓવરફ્લોથી પાણી ઘૂસી જતાં ખાસ કરીને કપાસના પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતોએ પાળા પાળી કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો,. છતાં ભારે વરસાદ અને પાણી ફરી વળતાં વાવેતર પૂર્ણપણે નાશ પામ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિવિધ ગામોમાં ખેડૂતો પાક વિમો, સહાય અને નવી વાવણી માટે ટેક્નિકલ માર્ગદર્શનની માગ ઉઠાવી રહ્યા છે. મકાનો અને ગ્રામ્ય માળખાં પર પણ અસર પડી છે. ઘણા ગામોમાં પાણી મકાનો સુધી ઘૂસી ગયાં હતાં. ઘરગથ્થુ વસ્તુઓને નુકશાન થયું છે. શાળાઓ બંધ રાખવી પડી હતી અને તાત્કાલિક સ્થળાંતર કરવાની નોબત પણ આવી હતી. હવે જ્યારે પાણી ઓસર્યાં છે, ત્યારે લોકોએ ઘરોમાં સફાઈ અને પાયાની દુરસ્તી શરૂ કરી છે.સરકારી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વે ઝડપી બનાવવાની માંગ સાથે સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા નુકશાનના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર કચેરી તરફ્થી રાહત કામગીરી માટે સૂચનાઓ અપાઈ રહી છે, પરંતુ ખેડૂતોની માગ છે કે સર્વે અને સહાયની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે કરવામાં આવે.
What's Your Reaction?






