Dahodમાં ટ્રેન નીચે પડતું મૂકી પરિણીતાએ કર્યો આપઘાત, અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદમાં આજે એક દુઃખદ ઘટના બની હતી. જ્યાં એક પરિણીતાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મરનાર પરિણીતાની ઓળખ ઉર્મિલા ચૌહાણ તરીકે થઈ હતી. જેની ઉંમર 28 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. તેણે આજે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનો જીવ આપી દીધો હતો.
28 વર્ષિય ઉર્મિલા ચૌહાણે કર્યો આપઘાત
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતક પરિણીતાના પરિવારજનોના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
પોલીસ દ્વારા આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કૌટુંબિક ઝઘડા, આર્થિક તંગી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાથી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
What's Your Reaction?






