Dahod News: મુવાલીયા ચોકડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત

Aug 4, 2025 - 00:00
Dahod News: મુવાલીયા ચોકડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં મુવાલીયા ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના ફોરવ્હિલ ગાડી અને બાઈક વચ્ચેની જોરદાર ટક્કરને કારણે બની હતી. આ દુર્ઘટના દાહોદના મુવાલીયા ચોકડી પાસે બની હતી. એક ફોરવ્હિલ ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત

આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફોરવ્હિલ ગાડીના ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ચાલકોની બેદરકારી અને નિયમોનો ભંગ આવી દુર્ઘટનાઓનું મુખ્ય કારણ 

આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. ચાલકોની બેદરકારી અને નિયમોનો ભંગ આવી દુર્ઘટનાઓનું કારણ બની રહ્યું છે. પોલીસે અપીલ કરી છે કે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0