Dabhoi:પાલિકા પરિવાર સ્થાપિત શ્રીજીનું પાંચમાં દિવસે વિસર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઈ નગરપાલિકા દ્વારા ગણેશોત્સવ નિમિત્તે નગર પાલિકા કચેરી ખાતે પણ ભગવાન ગણેશજીની મૂર્તિનીં સ્થાપના કરાઇ હતી. પાંચ દિવસ સુધી ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી તેમજ નગરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નગરપાલિકા પરિવાર દ્વારા પ્રાર્થના કરી પાંચમા દિવસે ગણેશજીની મૂર્તિનું કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરાયું હતું.
ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પ્રકૃતિને જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવનું નિર્માણ હીરા ભાગોળ પાસે સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કરાય છે. આ કૃત્રિમ તળાવમા નગર તથા તાલુકાના ગામોમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાશે. ડભોઇ નગરપાલિકા ખાતે સ્થાપના કરાયેલ ગણેશજીની પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન કરતા સમગ્ર પાલિકા સભ્યો તથા કર્મચારીઓ વિસર્જનયાત્રામાં ઉપસ્થિત રહી બાપાને વિદાય આપી હતી. નગર પાલિકા ચિફ ઓફ્સિર જયકીશન તડવી, પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમાર, કોપીન પટેલ, પ્રાચી પટેલ, દર્શન પીઠવા દ્વારા સફ્ળ આયોજન કરાયું હતું. જેમાં પાલિકા કર્મચારી સ્ટાફ સહિત કોર્પોરેટરો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. નગરમાં ઠેર ઠેર વૈવિધ્યસભર ડેકોરેશન સાથે શ્રીજી સ્થાપના કરાઇ છે.
What's Your Reaction?






