CM Bhupendra Patel સમક્ષ રજૂઆતો-ફરિયાદોના નિવારણનો કાર્યક્રમ 30 જૂને યોજાશે

Jun 25, 2025 - 09:30
CM Bhupendra Patel સમક્ષ રજૂઆતો-ફરિયાદોના નિવારણનો કાર્યક્રમ 30 જૂને યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુરુવાર 26 જૂનથી શરૂ થઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૩૦મી જૂન, સોમવારે યોજાશે.

30 જૂને યોજાશે જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી સોમવાર તા. 30 જૂન, 2025ના રોજ યોજાશે. સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર તા. 26 થી શનિવાર 28 જૂન દરમિયાન યોજાનારા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ને અનુલક્ષીને જૂન મહિનાનો રાજ્ય સ્વાગત આગામી તારીખ 30 જૂન, સામવારે યોજાશે.

રૂબરૂમાં આવીને નાગરિકો ફરિયાદ કરી શકશે

તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે. નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સોમવાર, તા. 30મી જૂનના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0