Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો ભરડો...આ શહેરમાં આવ્યા સૌથી વધુ કેસ

રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે આવ્યો ઉછાળો સાબરકાંઠાથી શરૂ થયેલો વાયરસ ગુજરાતમાં ફેલાયો અત્યાર સુધી 43 બાળકનો ચાંદીપુરાએ લીધો જીવગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે આખા ગુજરાતને પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી 43ના મોત થયા છે તો 54થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 5 થઈ છે. શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 15 કેસ નોંધાયા છે. 15 પૈકી 5 અસરગ્રસ્ત બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણનું પગેરું શોધવા કેન્દ્રમાંથી ગુજરાત આવ્યા 2 વૈજ્ઞાનિકચાંદીપુરા વાયરસને લઈ કેન્દ્રના 2 વૈજ્ઞાનિકો ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં વાયરસ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બન્ને વૈજ્ઞાનિકો ગઈકાલે ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે થયુ.સુરતમાં ચાંદીપુરાનો કોઈ કેસ નહીં, 12 વર્ષીય મૃત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યોસુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જેથી બાળકી ચાંદીપુરાથી સંક્રમિત છે કે કેમ? તેની ખારાઈ કરવા સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 4 દિવસે આવતા બાળકી ચાંદીપુરા નેગેટિવ હોવાની પુષ્ટિ થઈ છે.

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો ભરડો...આ શહેરમાં આવ્યા સૌથી વધુ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે આવ્યો ઉછાળો
  • સાબરકાંઠાથી શરૂ થયેલો વાયરસ ગુજરાતમાં ફેલાયો
  • અત્યાર સુધી 43 બાળકનો ચાંદીપુરાએ લીધો જીવ

ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે આખા ગુજરાતને પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી 43ના મોત થયા છે તો 54થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. 

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 5 થઈ છે. શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 15 કેસ નોંધાયા છે. 15 પૈકી 5 અસરગ્રસ્ત બાળકોના મોત નીપજ્યા છે.

ચાંદીપુરા વાયરસના સંક્રમણનું પગેરું શોધવા કેન્દ્રમાંથી ગુજરાત આવ્યા 2 વૈજ્ઞાનિક

ચાંદીપુરા વાયરસને લઈ કેન્દ્રના 2 વૈજ્ઞાનિકો ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં વાયરસ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બન્ને વૈજ્ઞાનિકો ગઈકાલે ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે થયુ.

સુરતમાં ચાંદીપુરાનો કોઈ કેસ નહીં, 12 વર્ષીય મૃત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જેથી બાળકી ચાંદીપુરાથી સંક્રમિત છે કે કેમ? તેની ખારાઈ કરવા સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 4 દિવસે આવતા બાળકી ચાંદીપુરા નેગેટિવ હોવાની પુષ્ટિ થઈ છે.