Botadમાં પ્રોહિબિશનના આરોપીના મોતનો ભેદ ઉકેલાયો, પત્નીએ પુત્ર સામે નોંધાવી હત્યાની ફરિયાદ

Sep 3, 2025 - 01:00
Botadમાં પ્રોહિબિશનના આરોપીના મોતનો ભેદ ઉકેલાયો, પત્નીએ પુત્ર સામે નોંધાવી હત્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ પોલીસે પ્રોહિબિશનના કેસમાં પકડેલા આરોપી ભરતભાઈ ગોહિલના હાર્ટએટેકથી થયેલા મોતનો મામલો એક નવો વળાંક લઈ રહ્યો છે. આ મામલામાં હવે એક મોટો ખુલાસો થયો છે. જેમાં મૃતક આરોપીના પત્નીએ પોતાના જ પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. 31 ઓગસ્ટના રોજ સવારે મૃતક ભરતભાઈ ગોહિલ નશાની હાલતમાં ઘરે ધમાલ કરી રહ્યા હતા અને તેમણે પોતાની પત્ની જયાબેનનું ગળું દબાવ્યું હતું. આ સમયે તેમનો પુત્ર રાકેશ હાજર હતો અને તેણે આ દૃશ્ય જોતા રોષે ભરાઈને પોતાના પિતાને લાકડીઓ વડે માર માર્યો હતો.

મૃતક આરોપીની પત્નીએ પોતાના પુત્ર સામે નોંધાવી ફરિયાદ

આ ઘટના બાદ રાકેશે પોલીસને બોલાવી હતી અને પોલીસે ભરતભાઈને પ્રોહિબિશનના ગુનામાં પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં લોકઅપ દરમિયાન ભરતભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ બેભાન થઈ ગયા. પોલીસે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું. શરૂઆતમાં આ મોતને હાર્ટએટેકથી થયેલું માનવામાં આવતું હતું. જોકે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા મૃતકની પત્ની જયાબેને સમગ્ર હકીકત જણાવી.

પુત્રએ માર માર્યા બાદ પોલીસ આરોપીને પકડીને લઈ ગઈ હતી

તેમણે પોલીસને જણાવ્યું કે તેમના પુત્ર રાકેશે જ તેમના પતિને લાકડીઓ વડે માર માર્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મૃતકના પુત્ર રાકેશ ગોહિલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. પોલીસે મૃતકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડ્યો હતો. જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0