Botad News: કરિયાણાની દુકાન ચલાવતા શખ્સની હેવાનિયત, સામાન લેવા આવેલી બાળકીને પીંખી નાંખી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કરિયાણાની દુકાન ચલાવતા એક આધેડ વયના શખ્સે 12 વર્ષની સગીરાની માસૂમિયતને પીંખી નાખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યું છે.
દુકાને સામાન લેવા ગઈ અને નરાધમ ત્રાટક્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર 12 વર્ષીય સગીરા ગામમાં જ આવેલી જેરામ ઈશ્વર ભાલાળાની કરિયાણાની દુકાને ઘરનો સામાન લેવા માટે ગઈ હતી. માસૂમ બાળકીને એકલી જોઈને આરોપી જેરામની દાનત બગડી હતી. તેણે સગીરાને બળજબરીથી પકડી લીધી હતી અને દુકાનની બાજુમાં જ આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
આ બનાવની જાણ થતા જ સગીરાના પરિવારે હિંમત દાખવી પાળીયાદ પોલીસ મથકે જેરામ ભાલાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને જોતા બોટાદના ડીવાયએસપી (DySP) મનીષા દેસાઈ એ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો - Botad News : બોટાદ શહેરમાં 6 થી 8 ફેબ્રુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે, જાણો આ છે કારણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

