Bhavnagar Rain News: માઢીયા નજીક પાણીમાં ફસાયેલા 58 લોકોનું રેસ્ક્યુ

Jun 18, 2025 - 14:30
Bhavnagar Rain News: માઢીયા નજીક પાણીમાં ફસાયેલા 58 લોકોનું રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં વરસાદી તાંડવ જોવા મળ્યુ છે. આ વરસાદી કહેરમાં લોકો ફસાયા હતા. અને અનેક ગામડાઓ સંપર્કથી વંચિત રહ્યા હતા. જેના કારણે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભાવનગરના માઢીયા નજીક પાણીમાં 58 લોકો ફસાયા હતા. જેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. આ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. તંત્રની કામગીરી લોકો સુધી પહોંચી તે માટે પ્રયાસ હાથ ધરાયા છે.

ભાવનગર પંથક પાણી-પાણી

ભાવનગરમાં સતત 3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે આ પંથક જળબંબાકાર થયુ છે. આવી સ્થિતિમાં લોકોનું જનજીવન ખોરવાયુ છે. ઘરનો તમામ સામાન તબાહ થયો છે. વરસાદે સર્જેલી તારાજીમાં લોકોએ પોતાના ઘર અને ખેતરો ગુમાવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં દુઃખનો માહોલ પેદા થયો છે. આ માહોલમાં તંત્ર તમામ મદદ પહોંચાડી રહ્યુ છે. ખેતરો જળાશયો જેવા બન્યા છે. પાકને મોટું નુકસાન થયુ છે. પ્રાણીઓના જીવ પણ ખતરામાં મુકાયા છે.

58 લોકોનું કરાયુ રેસ્ક્યુ

ભાવનગરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. અહીં સ્થિતિને જોતા વરસાદી કહેરનો અંદાજ લગાવી શકાય છે. નદીઓમાં નવા નીરનું આગમન થયુ છે. જેના કારણે નદીઓ અને જળાશયો બંને કાંઠે વહેતા થયા છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા છે. એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે લોકોને હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. માઢીયા નજીક પાણીમાં ફસાયેલા 58 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. મીઠાના અગરો વચ્ચે ફસાયેલ લોકોને ફાયર ફાયટરની ટીમે સફળ રીતે બહાર કાઢ્યા હતા. અને સુરક્ષિત સ્થળે મોકલ્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0