Bhavnagar News: શિકાર કરીને મારણ આરોગી રહેલા સિંહની પજવણી, એક વ્યક્તિ વનરાજની નજીક પહોંચી ગયો

Aug 3, 2025 - 16:30
Bhavnagar News: શિકાર કરીને મારણ આરોગી રહેલા સિંહની પજવણી, એક વ્યક્તિ વનરાજની નજીક પહોંચી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સિંહના મોતનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. તેવામાં સિંહની પજવણીનો બનાવ પણ સામે આવ્યો છે. ભાવનગરમાં મારણ આરોગી રહેલા સિંહની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક વ્યક્તિ સિંહની પજવણી કરતો હોવાનું વીડિયોમાં અંકિત થયું છે.

તળાજાના બાંભોર અને તલ્લી ગામ વચ્ચે સિંહે શિકાર કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં તળાજાના બાંભોર અને તલ્લી ગામ વચ્ચે સિંહે શિકાર કર્યો હતો. આ દરમિયાન સિંહ મારણ આરોગી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ દ્વારા તેની નજીક જઈને પજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને વન વિભાગ પજવણી કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી હતી.

પજવણીનો વીડિયો વાયરલ

સિંહની પજવણીના આ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. આ મામલે ફોરેસ્ટ વિભાગ તપાસ કરે તો સિંહ ની પજવણી કરતા લોકો સામે કાર્યવાહી થઈ શકે તેમ છે. સિંહની પજવણીનો વીડિયો તળાજા તાલુકાના બભોર અને તલ્લી ગામ વચ્ચે આવેલ સિમ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ગીર વિસ્તારમાં મૃત્યુ પામેલા સિંહ અંગેની તપાસ તેજ કરાઈ છે. ત્યારે આ પ્રકારે વનરાજની પજવણીના બનાવો પણ હેરાન કરી નાંખનારા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0