Bharuch:શાળા સંચાલકો દ્વારા નોટબુકોની ખરીદી માટે વાલીઓ પર દબાણ કરાતું હતું

Jun 13, 2025 - 04:30
Bharuch:શાળા સંચાલકો દ્વારા નોટબુકોની ખરીદી માટે વાલીઓ પર દબાણ કરાતું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરમાં આવેલી બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે.

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠયપુસ્તક, યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજીક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સુચના આપી હતી. જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યુ હતુ. જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કુલ અને એમીકસ ઈન્ટરનેશનલ સ્કુલને નોટીસ પાઠવવામાં આવી છે. આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગો વાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા. જે બદલ બંને શાળાઓને શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજુ કરવા સુચના આપી છે. જો યોગ્ય ખુલાસો નહી હોય તો દંડનીય કાર્યવાહી થશે. તો બીજી તરફ બંન્ને સ્કુલ સંચાલકોએ અમે કોઈણણ વાલીને ખરીદી માટે દબાણ કર્યુ નહી હોવાનું નિવેદન જારી કર્યુ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0