Bharuch જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડના મનરેગા કૌભાંડની નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરુચ જિલ્લામાં કરોડોના મનરેગા કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે, જેમા 56 ગામોમાં 7.30 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે, ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. આ મનરેગા કૌંભાડમાં હજી પણ ઘણા લોકોના નામ ખુલે તેવી શકયતાઓ પોલીસ સેવી રહી છે.
આમોદ, જંબુસર,હાંસોટમાં ઉચાપતની ફરિયાદ
મનરેગા કૌંભાડને લઈ આમોદ, જંબુસર, હાંસોટમા ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે, કૌંભાડ હેઠળ કરોડોની ઉચાપત થઈ હોવાની વાત છે જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એન્જસી, મુરલીધર એન્ટરપ્રાઈઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. કામ થયું નથી અને તેના રૂપિયા સીધા ચૂકવી દેવામાં આવ્યા હોવાની વાત છે, તો 56 ગામોમાં આ કૌંભાડનો રેલો પહોંચ્યો છે, અને એજન્સીઓને કોના આશીર્વાદથી આ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી તે ખબર નથી.
મનરેગા યોજના શું છે
આ મનરેગા યોજનાની યોજનાની વાત કરીએ તો ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર હેઠળ આ યોજના કામ કરે છે, આ યોજનામાં ઓછામાં ઓછા 100 દિવસની વેતન રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા વધારવાનો છે, આ યોજનામાં 365 દિવસથી 100 દિવસ રોજગારી આપવાની વાત છે.
દાહોદમાં પણ મંત્રીના પુત્રોએ મનરેગા કૌંભાડ આચર્યુ
દાહોદમાં પણ મંત્રીના બે પુત્રોએ મનરેગા કૌંભાડ આચર્યુ છે, ત્યારે મનરેગા કૌંભાડનો રેલો આખા ગુજરાતમાં ફેલોયો છે કે શું તે ખબર પડતી નથી, એક બાદ એક જગ્યાએથી મનરેગા કૌંભાડ સામે આવી રહ્યું છે, ત્યારે જિલ્લાના અન્ય કલેકટરોએ પણ આ બાબતને તપાસ કરવી જોઈએ, એજન્સીઓ પણ ખુલ્લેઆમ મનરેગા કૌંભાડમાં રૂપિયા ઉતારી લેતી હોય છે.
What's Your Reaction?






