Bharuch:રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ છેલ્લાં ત્રણ વર્ષથી અધૂરું

Jun 8, 2025 - 04:00
Bharuch:રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ છેલ્લાં ત્રણ વર્ષથી અધૂરું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ કામો પંચાયત કચેરીનું બાંધકામ, સી.સી.રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું કામ કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિકોને રોજગારી મળી રહે તે છે. પરંતુ દાહોદ અને ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં જે રીતે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, તે જોતા આ ભ્રષ્ટાચાર દાહોદ અને ભરૂચ થઈ ઝઘડિયામાં પણ આવી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ મનરેગા યોજના હેઠળ વર્ષ 2022માં મંજૂર થયા બાદ શરૂ કરાવાયું હતું. છેલ્લા બે વર્ષ દરમિયાન ફક્ત સાત ફુટનું (લીંટલ લેવલ) જેટલું જ બાંધકામ થયું છે. જે હાલ બંધ થયું હતું. જે બાબતે સ્થાનિકોની રજૂઆતના પગલે ફરીથી ગત વર્ષે આ કામ શરૂ કરાયું હતું. જે પણ બાદમાં બંધ કરી દેવાયું હતું, કામનો કોન્ટ્રાક્ટર પણ હાલમાં કામ અધૂરૂ મૂકીને પલાયન થઈ ગયો છે. જે બાબતે તાલુકા પંચાયતના અધિકારીઓ પણ અજાણ છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં કચેરીનું કામ પૂર્ણ નહીં કરાતાં તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાય છે. કચેરીના અભાવે તલાટી, સરપંચ અને સભ્યો નાની રૂમમાં કામકાજ ચલાવી રહ્યા છે. પંચાયત દ્વારા યોજવામાં આવતી માસિક મીટીંગો દરમિયાન તલાટી સરપંચ ઉપ સરપંચ અને સભ્યોને બેસવાની પણ અગવડ પડે છે, ઉપરાંત કામઅર્થે આવતા ગ્રામજનોને પણ અવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે. જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું મનરેગા યોજના હેઠળનું જે કામ અટકી પડયું છે, તેની તપાસ કરવા માગ કરાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0