Banaskantha જિલ્લામાં ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની કરાઈ ઉજવણી, ખેડૂતો રહ્યાં હાજર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે. કાંકરેજ ખાતે થઈ ઉજવણી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ’ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. થીમેટિક દિવસને ધ્યાને લઈને જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરાઇ હતી. જેમાં પાલનપુરના ઢેલાણા ખાતે, વડગામના હડમતીયા, અમીરગઢના અજાપુર વાકા, દાંતીવાડાના ચોડુંગરી, ડીસાના ખરડોસણ, લાખણી, ધાનેરાના કોટડા ધાંખા ખાતે થરાદના સવપુરા, વાવના બિયોક ખાતે, સુઈગામના ચાળા, ભાભરના દેવકાપડી, દિયોદરના મેસરા તેમજ કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે ઉજવણી કરાઈ હતી.પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ,વિસ્તરણ અધિકારી ખેતી, ગ્રામ સેવકઓ અને આત્મા યોજનાનો સ્ટાફ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિસ્તૃત સમજ અપાઇ હતી. ગાય યોજનાના મંજૂરી હુકમ પણ એનાયત કરાયા હતા. સૌએ વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરી અને શપથ લીધા હતા. અધિકારીઓ પણ રહ્યાં હાજર આ કાર્યક્રમમાં ‘પ્રાકૃતિક ખેતી- ભવિષ્યની જરૂરિયાત’ માટે મહાનુભવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ બહોળા પ્રમાણમાં ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ, બનાસ ડેરી દ્વારા ઓર્ગેનિક વસ્તુઓનો સ્ટોલ પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા લાધુભાઈ સી.પારધી, એચ. જે. ઝિંદાલ સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જાણો કેમ ઉજવાય છે વિકાસ સપ્તાહ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7મી, ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈ રાજ્યના શાસનની ધૂરા હસ્તગત કરી હતી ત્યારબાદથી રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારે 7મીથી 15 ઓકટોબર સુધીના એક સપ્તાહને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો જે નિર્ણય કર્યો છે. તે મુજબ, 2001થી 2024 સુધીની નરેન્દ્ર મોદીના સતત અને સળંગ 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 7મીથી 15મી, ઓક્ટોબર સુધી થનારી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.

Banaskantha જિલ્લામાં ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની કરાઈ ઉજવણી, ખેડૂતો રહ્યાં હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે.

કાંકરેજ ખાતે થઈ ઉજવણી

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ’ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. થીમેટિક દિવસને ધ્યાને લઈને જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરાઇ હતી. જેમાં પાલનપુરના ઢેલાણા ખાતે, વડગામના હડમતીયા, અમીરગઢના અજાપુર વાકા, દાંતીવાડાના ચોડુંગરી, ડીસાના ખરડોસણ, લાખણી, ધાનેરાના કોટડા ધાંખા ખાતે થરાદના સવપુરા, વાવના બિયોક ખાતે, સુઈગામના ચાળા, ભાભરના દેવકાપડી, દિયોદરના મેસરા તેમજ કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે ઉજવણી કરાઈ હતી.


પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી

કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ,વિસ્તરણ અધિકારી ખેતી, ગ્રામ સેવકઓ અને આત્મા યોજનાનો સ્ટાફ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિસ્તૃત સમજ અપાઇ હતી. ગાય યોજનાના મંજૂરી હુકમ પણ એનાયત કરાયા હતા. સૌએ વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરી અને શપથ લીધા હતા.

અધિકારીઓ પણ રહ્યાં હાજર

આ કાર્યક્રમમાં ‘પ્રાકૃતિક ખેતી- ભવિષ્યની જરૂરિયાત’ માટે મહાનુભવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ બહોળા પ્રમાણમાં ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ, બનાસ ડેરી દ્વારા ઓર્ગેનિક વસ્તુઓનો સ્ટોલ પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા લાધુભાઈ સી.પારધી, એચ. જે. ઝિંદાલ સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

જાણો કેમ ઉજવાય છે વિકાસ સપ્તાહ

ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7મી, ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈ રાજ્યના શાસનની ધૂરા હસ્તગત કરી હતી ત્યારબાદથી રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારે 7મીથી 15 ઓકટોબર સુધીના એક સપ્તાહને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો જે નિર્ણય કર્યો છે. તે મુજબ, 2001થી 2024 સુધીની નરેન્દ્ર મોદીના સતત અને સળંગ 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 7મીથી 15મી, ઓક્ટોબર સુધી થનારી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.