Banaskanthaના થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, આખલાએ વૃદ્ધ મહિલાને લીધી અડફેટે

બનાસકાંઠાના થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે,જેમાં આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આખલાએ અડફેટે લેતા મહિલા બસ સાથે ભટકાઈ અને ઈજાગ્રસ્ત થઈ હતી,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા.થરાદા ગોળાઈ નજીક આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડાઈ છે,ભર બજારમાં આવી ઘટના બનતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ રોજની છે,નગરપાલિકાને આ બાબતને લઈ અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ આવતું નથી.વધતા જતા રખડતા ઢોરના ત્રાસને કાબુમાં લેવા સ્થાનિકોની માંગ છે.પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે જેના કારણે આ સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. રખડતા ઢોરની વધી સમસ્યા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે.પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઇવે તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડીંગો જમાવી દીધો છે.શહેરના ધણીયાના ચોકડી,ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ,સીમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો સાથે જ પાલનપુર આબુ, પાલનપુર અમદાવાદ સહિતના રસ્તાઓ પણ જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલ્લેઆમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે. આ સમસ્યા રોજની છે મહત્વની વાત છે કે રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક વાર સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી તંત્ર કોઈ ઉકેલ લાવી શક્યું નથી.તંત્ર ઢોર પકડવાના મસ મોટા દાવો કરી રહ્યું છે પરંતુ તે બાદ કોઈ કામગીરી થતી નથી અને તેને જ કારણે લોકો આ રખડતા ઢોરોની હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રખડતા ઢોરોના ત્રાસ માંથી શહેરીજોનો સહિત હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુક્તિ અપાવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યું છે. પાલિકાએ હાથ કર્યા અધ્ધર જોકે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે પરંતુ નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોઈ કોન્ટ્રાક્ટર લેવા જ તૈયાર નથી.મહત્વની વાત છે કે શહેરમાં કોઈ ગૌચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોર વાડો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય. ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો ક્યાં તે એક મોટો સવાલ છે અને તેને જ કારણે કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી અને પાલિકા દર વખતે કોન્ટ્રાક્ટરનું બહાનું કાઢી પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.

Banaskanthaના થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, આખલાએ વૃદ્ધ મહિલાને લીધી અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે,જેમાં આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આખલાએ અડફેટે લેતા મહિલા બસ સાથે ભટકાઈ અને ઈજાગ્રસ્ત થઈ હતી,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા.થરાદા ગોળાઈ નજીક આ ઘટના બની હતી.

ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ

ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડાઈ છે,ભર બજારમાં આવી ઘટના બનતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ રોજની છે,નગરપાલિકાને આ બાબતને લઈ અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ આવતું નથી.વધતા જતા રખડતા ઢોરના ત્રાસને કાબુમાં લેવા સ્થાનિકોની માંગ છે.પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે જેના કારણે આ સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે.


રખડતા ઢોરની વધી સમસ્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે.પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઇવે તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડીંગો જમાવી દીધો છે.શહેરના ધણીયાના ચોકડી,ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ,સીમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો સાથે જ પાલનપુર આબુ, પાલનપુર અમદાવાદ સહિતના રસ્તાઓ પણ જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલ્લેઆમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે.

આ સમસ્યા રોજની છે

મહત્વની વાત છે કે રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક વાર સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી તંત્ર કોઈ ઉકેલ લાવી શક્યું નથી.તંત્ર ઢોર પકડવાના મસ મોટા દાવો કરી રહ્યું છે પરંતુ તે બાદ કોઈ કામગીરી થતી નથી અને તેને જ કારણે લોકો આ રખડતા ઢોરોની હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રખડતા ઢોરોના ત્રાસ માંથી શહેરીજોનો સહિત હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુક્તિ અપાવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યું છે.

પાલિકાએ હાથ કર્યા અધ્ધર

જોકે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે પરંતુ નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોઈ કોન્ટ્રાક્ટર લેવા જ તૈયાર નથી.મહત્વની વાત છે કે શહેરમાં કોઈ ગૌચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોર વાડો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય. ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો ક્યાં તે એક મોટો સવાલ છે અને તેને જ કારણે કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી અને પાલિકા દર વખતે કોન્ટ્રાક્ટરનું બહાનું કાઢી પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.