અરવલ્લીમાં માલપુરની વાત્રક નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. અજાણ્યા યુવકની લાશ મળી આવતા તેની ઓળખ કરવામાં આવી હતી. જે 25મેંના રોજ ગુમ યુવક હર્ષદ ચમારનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. માલપુરની વાત્રક નદીમાં યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. તો મૃતકના પરિવારજનો માલપુર પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા હતા.
યુવકની લાશ નદીમાંથી મળી
માલપુર પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવકના પરિવારજનો માલપુર પોલીસ સ્ટેશન આવીને ન્યાયની માંગણી કરી હતી.પરિવારજનોએ યુવકના મૃત્યુ બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા.પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે, મૃતકને ધાકધમકીઓ અને દુષ્પ્રેરણા આપવામાં આવી હતી. જેના લીધે યુવકે આવું પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવકના મોત મામલે માલપુર પોલીસે સવાપુર અને બોરના મુવાડાના 9 લોકો સામે ફરિયાદ નોંધી હતી. યુવકની મોતને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
યુવકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી
માલપુર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનોએ સવાપૂર અને બોરના મુવાડાના 9 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીને મરવા દુષ્પ્રેરણ અને એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.તો સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા માલપુર પોલીસે ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો યુવકના પરિવારમાં મોતને લઈને ભારે શોક અને રોષ બંને જોવા મળ્યો હતો.