Aravalli News: શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, લેસર શો દ્વારા મંદિરના ઇતિહાસ અને કૃષ્ણ જીવનની ઝાંખી દર્શાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં ભવ્યતાપૂર્વક શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મધ્ય રાત્રી પહેલા જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું માનવમહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે જન્મોત્સવની ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે મંદિર પરિસરમાં એક અનોખા લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
કૃષ્ણ જન્મોત્સવની ગણાઇ રહી છે ઘડીયો
આ લેસર શો દ્વારા મંદિરના ઇતિહાસની અને ભગવાન બાળ ગોપાલના જીવન સાથે જોડાયેલા વિવિધ પ્રસંગોની સુંદર ઝાંખી દર્શાવવામાં આવી રહી છે. ભક્તો આ આધુનિક ટેકનોલોજી દ્વારા ભગવાનના જીવનના પ્રસંગોને જીવંત થતા જોઈને અભિભૂત થયા હતા. લેસર શોમાં મંદિરની વિવિધ કોતરણીઓ સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગો પણ દર્શાવવામાં આવ્યા હતા. આનાથી ભક્તોને મંદિરના પૌરાણિક મહત્વ અને તેની ભવ્યતા વિશે જાણકારી મળી હતી.
લેસર શો દ્વારા મંદિરના ઇતિહાસની ઝાંખી દર્શવાઈ
આ આયોજનને કારણે દર્શન માટે આવેલા ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો. હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. જેથી ભક્તો સુરક્ષિત રીતે દર્શન કરી શકે અને કોઈ પણ પ્રકારની અરાજકતા ન ફેલાય. ભક્તો જય શામળિયાના નારા લગાવીને પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે.
What's Your Reaction?






