Amreli News: ચલાલા નગરપાલિકા પ્રમુખે કૌટુંબિક કારણ આગળ ધરી રાજીનામું આપ્યું

Aug 11, 2025 - 22:30
Amreli News: ચલાલા નગરપાલિકા પ્રમુખે કૌટુંબિક કારણ આગળ ધરી રાજીનામું આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વધુ એક નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. અમરેલીના ચલાલામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખે માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામુ ધરી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલિકા પ્રમુખના પતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને રાજીનામાની જાણકારી આપી હતી.

નયના વાળાએ કૌટુંબિક કારણોસર રાજીનામું આપ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના ચલાલામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ કૌટુંબિક કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટરને લખેલા રાજીનામામાં જણાવ્યું હતું કે, હું મારા કૌટુંબિક કારણોસર પાલિકાની રોજિંદી કામગીરીમાં હાજર રહી શક્તિ નથી જેથી કામગીરીને અસર ના થાય તે માટે રાજીખુશીથી રાજીનામું આપું છું.

આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ

નયનાબેન વાળાએ માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના પતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને રાજીનામા અંગે જાણ કરી હતી. ત્યારબાદ આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. છેલ્લાં 5 મહિનાથી આંતરિક જૂથવાદ ચાલતો હોવાથી પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0