Amreli: દરિયા કાંઠાના વિસ્તારો સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારો સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને અમરેલીના ખાંભા અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં તેમજ દીવાના સરાકડીયા, ડાઢીયાળી અને શહીદ જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે.
ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે ઉભો પાક, ખાસ કરીને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ માંડ માંડ તૈયાર કરેલો પાક બગડવાની આશંકાથી તેઓ ચિંતાતુર બન્યા છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. અમરેલી ધારી ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય સહાય મળે તેવી માંગણી ઉઠી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિને કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

