Ambalal Patelએ વરસાદને લઈ કરી મોટી આગાહી, હજી પડી શકે છે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે,સાથે સાથે 7થી 12 ઓકટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી હવામાનમાં આવી શકે છે પલટો : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે.દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે,સાથે સાથે 16 થી 22 ઓકટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે.પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા,અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા,સાબરકાંઠામાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.16 થી 22 ઓકટોબર વચ્ચે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સાબરકાંઠામાં પડી શકે છે વરસાદી ઝાપટા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાબરકાંઠા તેમજ આસપાસના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં હાલમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ આપી શકે છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે.સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે. શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

Ambalal Patelએ વરસાદને લઈ કરી મોટી આગાહી, હજી પડી શકે છે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે,સાથે સાથે 7થી 12 ઓકટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી હવામાનમાં આવી શકે છે પલટો : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે.દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે,સાથે સાથે 16 થી 22 ઓકટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે.પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા,અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા,સાબરકાંઠામાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.16 થી 22 ઓકટોબર વચ્ચે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

સાબરકાંઠામાં પડી શકે છે વરસાદી ઝાપટા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાબરકાંઠા તેમજ આસપાસના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં હાલમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ આપી શકે છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.

શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.